Safeer News

Breaking News from Ahmedabad

સૂફીવાદ

હૈદર અલી સાની હઝરત શાહ વજીહુદ્દીન અલવી (ર.હ)

(અબરાર અલ્વી)

અમદાવાદને ઓલીયાઓનો શહેર કહેવામાં આવે છે કારણ કે, અમદાવાદમાં ઘણા ઓલીયાઓ આરામ ફરમાવી રહ્યાં છે અને ઇતિહાસ ગવાહી આપે છે કે અમદાવાદની સ્થાપના પણ ચાર એહમદ દ્વારા કરવામાં આવી હતી. અમદાવાદમાં આરામ ફરમાવી રહેલા બુઝુર્ગોની જુદી-જુદી કરામતો છે અને આજે પણ લોકો તેમના દર પરથી તેમની સમસ્યાઓનું નિવારણ મેળવી રહ્યા છે. હઝરત શાહ વજીહુદ્દીન અલવી ઉર્ફે હૈદર અલી સાની (ર.હ) ગુજરાતના ઉચ્ચ કોટીના બુજુર્ગ અને આલીમે દીન છે આપના પિતાનું નામ હઝરત નસુરૂલ્લાહ અલવી (ર.હ) છે. આજે પણ લોકો હઝરત શાહ વજીહુદ્દીન અલવી (ર.હ)ના દર પરથી ફૈઝ મેળવી રહ્યાં છે આપના દર પર બોલવામાં તકલીફ અનુભવતા લોકોને તેમની સમસ્યાનો ઉકેલ મળે છે લોકો આપના દર પરથી શક્કર ચાટે છે અને બોલતા થઇ જાય છે. આજે પણ બધા ધર્મના લોકો આપના દર પર આ અકીદત સાથે આવે છે અને શીફા પાવે છે આપનો જન્મ ઇસવીસન ૧૫૦૦માં (રર/ મોહર્રમ / ૯૧૦ હિજરીસન)માં ચાંપાનેર ખાતે થયો હતો. આપના પૂર્વજો પહેલા યમનમાં પછી મક્કા ગયા હતા અને પછી તેમના દાદા ચાંપાનેર આવીને વસ્યા હતા. હઝરત શાહ વજીહુદ્દીન અલવીના પિતા મુઝઝફર શાહ બીજાના સમયમાં અમદાવાદ આવ્યાં હતા હઝરત શાહ વજીહુદ્દીન અલવીએ અમદાવાદમાં પ્રાથમિક તાલીમ કાકા સૈયદ શમ્સુદ્દીન અને મામા સૈયદ અબૂલ કાસિમ દ્વારા મેળવી હતી અને ૧પ વર્ષની ઉમરે અલ્લામહ સખાવીના શિષ્ય મુહમ્મદ બિન અહમદ માલિકી અને અન્ય ઉલમા પાસેથી હદીસ વિદ્યાનું શિક્ષણ મેળવ્યુ. ત્યાર પછી અન્ય વિદ્યાઓ તર્કશાસ્ત્ર, ફિલોસોફી વગેરેનો અભ્યાસ કર્યો અને ર૪ વર્ષની ઉમરે ધાર્મિક શિક્ષણ મેળવવાનું પૂર્ણ કરીને શિક્ષણ આપવાનું શરુ કર્યું. અમદાવાદમાં ખાનપુરમાં આવેલો તેમનો મદ્રસો ખુબ જ પ્રચલીત હતો સમગ્ર વિશ્વમાંથી વિદ્યાર્થીઓ આપની પાસે ભણવા માટે આવતા હતા. ૬૪ વર્ષ સુધી ત્યાં શિક્ષણ આપ્યું. તેમના સમયમાં અમદાવાદ મુસ્લિમ ધાર્મિક શિક્ષણનું મોટું કેન્દ્ર બની ગયું. તેમના પછી ર૩૮ વર્ષ સુધી આ મદ્રેસા ચાલુ રહ્યું. આ મદ્રેસાનું પુસ્તકાલય અમદાવાદમાં સૌથી મોટું ગણાતું હતું. હઝરત વજીહુદ્દીન અલવીના પિતા કાઝી ઉલ કઝાતાના હોદા પર હતા. હઝરત વજીહુદ્દીન અલવી હઝરત ગોસ ગ્વાલીયરીના મુરીદ બન્યા હતા. હઝરત વજીહુદ્દીન અલવીની પાસે હઝરત ખીઝર એલેહસલામ પણ આવતા હતા જ્યારે હઝરત ખીઝર આવતા તો આપ તમામ લોકોને રવાના કરીને એક બંધ રૂમમાં વાતચીત કરતા હતા. હઝરતે ખીઝરના ત્યાંથી ગયા પછી કોઇએ હઝરત વજીહુદ્દીન અલવીને પુછયું હઝરત આપ દર્સ (જ્ઞાન) લો છો કે, આપો છો તો આપે ફરમાવ્યુંકે અમે એહલે રસુલ્લાહ છે(સલ્લાહોવાલેહીવસલમની ઔલાદ) છે અમને રસુલ્લાહ સિવાય કોઇની પાસેથી લેવાની જરૂર નથી. આના પરથી જ આપનો મકામ સમજી શકાય છે . હઝરત વજીહુદ્દીન દ્વારા લખાયેલી પુસ્તકો આજે પણ પીર મુહંમદ શાહ લાયબ્રેરી અમદાવાદ, કુતુબખાનહ આસીફીય્યહ હૈદરાબાદ, લખનઉ, રામપૂર, ઈન્ડીયા ઓફિસ લંડનમાં મોજૂદ છે. અમુક કિતાબો જેવી કે શહર્ નુખ્બહ વગેરે આજે પણ છપાય છે અને વિદ્વાનોમાં પ્રચલિત છે. આપનો મઝાર ખાનપુરમાં આવેલો છે આપના ખાનદાનમાં અનેક પ્રચલીત લેખકો થઇ ગયા જેમાં વલી ગુજરાતી, વારીસ અલવી, મોહમ્મદ અલવી અને મઝહર ઉલ હકક અલવી ઉર્દુ ભાષાના પ્રખ્યાત લેખક હતા આજે તેઓ દુન્યામાં નથી પરંતુ તેમની પ્રચલીતતા ઓછી થઇ નથી. હઝરત વજીહુદ્દીન અલવીનો મઝાર અમદાવાદના ખાનપુર વિસ્તારમાં આવેલો છે જહાંગીરના સમયના અગિયારમાં સુબા સય્યદ મુર્તુઝા ખાન દ્વારા આપનો મઝાર બાંધવામાં આવ્યો હતો.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *